સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
ધર્મ, સંપ્રદાય, અધ્યાત્મ, સંસ્કૃતી, યોગ, તંત્ર અને યજ્ઞ - મોટા ભાગે આમાંના કોઈ એકાદના પ્રચાર નિમિત્તે સાધુ-સંતો-ભક્તો-પંડિતો વગેરે દેશ-વિદેશનું ભ્રમણ કરતા હોય છે. ઉપર જે સાત તત્વો જણાવ્યા છે, તે પ્રત્યેક અલગ-અલગ છે. ને તેના પરિણામો પણ અલગ વસ્તુ છે.
મારે અને મારા જેવા બીજા કેટલાયને દેશ-વિદેશમાં ધર્મ-પ્રચાર નિમિત્તે જવાનું થતું રહે છે, જેમ વ્યસનોના પ્રચારથી વ્યાસનો વધે છે, તેમ ધર્મના પ્રચારથી ધાર્મિક વાતાવરણ પણ વધે છે.